Posts

Showing posts from November 15, 2020

પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર

Image
પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર ભારત માનવ-સભ્યતાનું પારણું છે. જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ જ સભ્યતા અને સંસ્કૃતિના વાસ્તવિક પ્રેરક બળો સિધ્ધ થયા છે , જે આધારિત છે સતત નિરીક્ષણ , પરીક્ષણ , અસરો , તેના પરિણામો અને તેનો માનવજીવનના વિકાસ તથા પ્રગતિ માટે યોગ્ય વિનિયોગ- ઉપયોગ પર. ભારતીય મનીષીઓનો હજારો વર્ષો પ્રકૃતિ સાથે અંતરંગ સંબંધ રહ્યો છે.જેના કારણે પરંપરાગત ભારતીય વિજ્ઞાન પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ને વિકાસ પામ્યુ. વાસ્તુ શબ્દ સંસ્કૃતની " વસ " ધાતુ પરથી આવ્યો છે . ‘ વસ ’ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન .  આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન .   અન્ય મત મુજબ “વાસ્તુ ”  શબ્દ વસ્તુ શબ્દ માંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે . વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર .                  સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે . આ પાંચ તત્વો છે અગ્નિ ,  પૃથ્વી , વાયુ , જળ અને આકાશ આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે . કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. પાંચ તત્ત્વો ના અસંતુલન થી વિકાર ઉત્પન થાય છે તે જ

સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા

Image
સ્વર્ગ નું સરનામું અને જન્નત કા પતા:    વિશ્વ ના તમામ લોકો જયારે સુખ માં કે દુઃખ માં, સફળતા કે અસફળતા પ્રાપ્ત કરે ત્યારે અચૂક આકાશ સામે જોઈ ને પોત-પોતાના ઈશ્વર ને યાદ કરે છે. પછી તે ક્રિકેટર એ સેન્ચ્યુરી ફટકારી હોય કે કોઈ વિદ્યાર્થી ને અચાનક અણધાર્યા વધુ માર્ક્સ આવી ગયા હોય. અહી તમામ ધર્મ ના લોકો ના ભગવાન ઉપર આકાશ માં જ રહે છે. પરંતુ ક્યારેય કોઈ ધર્મ ના વ્યક્તિ એ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ઉપર આકાશ માં મારા ભગવાન કે મારા અલ્લાહ કે મારા જીસસ કે મારા ગુરુ ગોવિંદ કઈ તરફ કે કઈ દિશા માં રહે છે? તેઓ નું સરનામું શું? આપણા કથાકારો કે ધર્મ ગુરુઓ ને આ પ્રશ્ન પૂછી જોજો, એટલે જવાબ મળશે , તમારે એ સરનામાં ની કોઈ જરૂર નથી. ઉપરવાળો તમારા મૃત્યુ પછી જાતે આવીને તમને લઇ જશે. તમારા કરતા ઉપરવાળા ને તમારી વધુ ચિંતા છે, વગેરે વગેરે. આપણી માન્યતા મુજબ જયારે કોઈ હિંદુ નું મૃત્યુ થાય ત્યારે યમરાજ તેને આવી ને લઇ જાય અને ત્યારબાદ ચિત્રગુપ્ત તેના ચોપડામાં તમારા કર્મો નો હિસાબ જુએ અને તે પ્રમાણે સ્વર્ગ કે નર્ક માં જગ્યા આપે. જયારે કોઈ મુસ્લિમ નું મૃત્યુ થાય ત્યારે અલ્લાહ ના બે ફરિસ્તા મુન્કર અને નકીર કબર માં આવે અ

“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”

Image
“પારંપરિક ભોજન અને સ્વાસ્થ્ય”   “ અન્ન એવો ઓડકાર” જેવી કહેવતો જેને પણ લખી હોય તેના રચઈતા ના નામો નથી હોતા પણ આ ‘જંક ફૂડ’ કાળ માં છે તદ્દન શાશ્વત, મનુષ્ય ની ઉત્પતિ થઇ ત્યારે તેના અને તેની આસપાસ વસતા પ્રાણીઓ ના ખોરાક માં કોઈ જ તફાવત ન હતો, ચાર લાખ વર્ષ પહેલા મનુષ્યએ જયારે અગ્નિ ને પોતાના વશ માં કર્યો ત્યારથી પ્રાણીઓ અને મનુષ્ય ના ખોરાક માં તફાવત ની શરુઆત  થઇ. અને એ તફાવત ની રેખા એટલી તો ખેચાણી કે હવે આપણે ખોરાક ના નામે કશુક ભળતું જ ખાઇયે છીએ. ટીવી પર લગભગ બધીજ ચેનલ્સ પર બપોર નો સ્લોટ રસોઈ ને લાગતો જ હોય અને વળી ફક્ત ફૂડ ચેનલ્સ તો ખરીજ, પરંતુ તમામ ચેનલ્સ માં તમારા કામ ની વાનગી કદાચ તમને ક્યારેય જોવા ન મળે. કારણ કે કેટલીક વાનગીઓ ની બનાવટ જોતા જ લાગે કે આને કદાપી ના ખાઈ શકાય. પારંપરિક ખોરાક નો સીધો સંબધ વિજ્ઞાન સાથે છે. કારણ કે જયારે ખોરાક નું પ્રદર્શન ન હતું ત્યારે ખોરાક માં સાદાઈ અને પવિત્રતા હતી. અહી પવિત્રતા નો મતલબ પોષણ અને સ્વચ્છતા છે. દુનિયા માં શુદ્ધ ખોરાક ની ચર્ચા માં આપણા દેશ પછી કદાચ ચીન હોઈ શકે અને ત્યાર પછી આફ્રિકા અને યુરોપ ના દેશો હોઈ શકે. વાચકો માંથી ભાગ્યેજ કોઈ જણાતું હશે

શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]

Image
  શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]: ચાણક્ય ને યાદ કરવા કદાચ ઓલ્ડ ફેશન ગણાશે, પરંતુ યાદ કરવા જ રહ્યા !! જો આપણે શિક્ષણ ની વાત કરીએ તો !!!  મનુષ્યો ની ભરમાર માં શિક્ષણ એ તમારું અસ્ત્ર અને શસ્ત્ર છે એવું મહાત્મા ગાંધી ના આંદોલન અનુયાયી એવા નેલ્સન મંડેલા નું પણ કહેવું છે, આજ વાત  માહાત્મય ચાણક્યએ ઇસુ ના ૩૫૦ વર્ષ પહેલા સાબિત કરી બતાવ્યું. સમાન્ય રીતે જયારે શિક્ષણ ની વાત આવે ત્યારે આપણી પાસે બહુજ બધા સંદર્ભો આપવા માટે હોય છે, કેમ કે   સુજ્ઞ વાચકો સંદર્ભ વિના ના લેખો ને પચાવી શકતા નથી. કારણ કે સંદર્ભ વગર નું લખાણ લેખક નાં વાંચન ઉપર પ્રશ્નાર્થ છે. જો કે એ  વાત પણ કઇક અંશે સાચી છે. કારણ કે વાંચન એ આત્મસાત [ લર્નિંગ ] માટે નું પ્રાથમિક આચરણ છે. શિક્ષણ જગત માં રાચનારા તમામ વ્યવસાયી ઓ માટે આ લેખ નું મથાળું જરાય અજાણ્યું નથી. ભારતીય શિક્ષણ વ્યવસ્થા ની વાત કરવી મુશકેલ નહિ અતિ મુશ્કેલ છે. આપણા સમજે આત્મસાત શબ્દ નો અર્થ ગોખણપટ્ટી કર્યો છે. આવી જ રીતે તમામ શબ્દો ના અર્થો આપણે જુદા જ સમજ્યા છીએ જેમ કે શીખવવું એટલે ચોપડી માં રહેલા શબ્દો ના અર્થ કહેવા, પ્રયોગ એટલે વર્ગ ની પ્રકિયા પયોગશાળા મા